મોરબી : મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે તારીખ 2/12/2025, મંગળવારના રોજ વીજ લાઈનો પર જરૂરી મેઇન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે, અશ્વમેઘ ઇન્ડ. ફીડર પર વીજ પુરવઠો સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ ફીડર હેઠળ આવતી પાટીદાર ટાઉનશીપ સોસાયટી, હાઇવે ઉપર આવતા કોમ્પ્લેક્સ તેમજ આ ફીડરના તમામ રહેણાંક, વાણિજ્ય અને ઔદ્યોગિક (એચ.ટી) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે.