મચ્છુ 2 ડેમમાંથી હજારો લાખો ક્યુસેક પાણી છોડાતા નદી બે કાંઠે વહી હતી. આ નદીનું પાણી જેલ રોડ પર આવેલ ઠાકોર લોજની પાછળ કબીર ટેકરી વિસ્તારમાં અનેક ઘરોમાં ફરી વળ્યું હતું. સ્થિતિ એટલી કફોડી બની હતી કે ઘરમાંથી પાણી ઉતર્યા પછી લોકો ઘરમાં જઈ શક્યા હતા અને ઘરવખરી તેમજ માલસામાન પલળી જતા ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું રહેવાસીઓએ જણાવ્યું હતું.