મોરબીના ખાખરાળા ગામે એક આઘાતજનક ઘટના બહાર આવી છે. જો કે આત્મ હત્યાની ઘટના હોય એટલે આપણી બધાની સંવેદના બુઠી થઈ ગઈ કે આવા ઘટનાઓમાં થોડીવાર દુઃખ પ્રગટ મરી બધું જ ભૂલી જવાય છે. ત્યારે મોરબીમાં વધુ એક આઘાતજનક ઘટનામાં પિતાએ પુત્રને કામધંધો કરવાનું કહેતા પિતાના કડવા વેણ સહન ન થતા તેણે આ ફાની દુનિયા છોડી દીધી છે.
મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના રહેવાસી અને હાલમાં સુરતના ઉધના ઉધોગનગરમાં રહેતા સંકેતભાઇ કિશોરભાઇ વણોલ ઉ.વ.21 નામના યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવાનું કહેતા આ યુવાનના મગજમાં એવું ઠસય ગયું કે, પિતાએ જાણે જીવન અને મરણ વચ્ચેના જંગની વાત કહી હોય. એટલે આ યુવાનને પિતાના કડવા વેણ સહન ન થતા લાગી આવતા પોતાના વતન ખાખરાળા ગામે સંકેતભાઈએ ગત.તા.24ના રોજ ઝેરી દવા પી લેતા રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.