Wednesday - Jul 22, 2026

વાંકાનેરના ચંદ્રપુરમા વાડીમાં કેમ પશુ આવવા દો છો ? કહી મારામારી, સામસામી ફરિયાદ

વાંકાનેરના ચંદ્રપુરમા વાડીમાં કેમ પશુ આવવા દો છો ? કહી મારામારી, સામસામી ફરિયાદ

મારામારીના બનાવમાં બન્ને પક્ષે નાના મોટી ઇજાઓ પહોંચી

મોરબી: વાંકાનેરના ચંદ્રપુર ગામે ધમાંચીયુ સીમમા વાડી ધરાવતા અલાવદિનભાઇ મહમદભાઈ ખોરજીયાએ આરોપી અલી રફીકભાઈ, અફઝલ દાઉદભાઈ, સોયબ રફીક, મેમુબેનના દીકરા રફીક, મરીયમબેન સંધી, તેમની દીકરી નસીમ અને રીક્ષા ચાલક અલી ઉર્ફે અમન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓના પશુ ફરિયાદીની વાડીમાં ઘુસી જતા તેમના પત્નીએ વાડીમાં કેમ પશુ આવવા દો છો ? જેથી આરોપીઓને સારું નહિ લાગતા લાકડી, પાઇપ વડે હુમલો કરી સાહેદ સાલેહને ફ્રેક્ચર કરી નાખી રોશનબેન તથા ઇબ્રાહિમભાઈને હાથ પગમાં ઇજાઓ કરી હતી.

સામાપક્ષે મરિયમ ઉર્ફે મમુબેન હબીબભાઈ વિકિયાણીએ આરોપી અલાવદીનભાઈ, તમના પત્ની રોશનબેન, ઇબ્રાહિમ મહમદભાઈ, રિઝવાનાબેન તથા સાલેહભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીની વાડીમાં પશુઓ જતા આરોપીઓએ ધોકા વડે માર મારતા સાહેદ અલીભાઈને તેમજ અમનભાઈને માથામાં ઇજાઓ થઈ હતી અને ફરિયાદીને મૂંઢ માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.