Thursday - Apr 23, 2026

મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

દશેરાના પવિત્ર દિવસે આસુરી શક્તિનો નાશ તથા દેવી શક્તિનો વિજય થયો એ રીતે વર્ષોથી વિજયાદશમી પરંપરા નિમિતે મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

દશેરા નિમિતે શસ્ત્ર પૂજન કરી આપણે આપણા શાસ્ત્રોનું સન્માન કરીએ છીએ જે શસ્ત્ર આપણી રક્ષા કરે છે એનું પૂજન વર્ષમાં એકવાર જરૂર કરવું જોઈએ તેવી પરંપરા મુજબ એકતા એજ લક્ષ્ય સંગઠન મોરબી ટીમ તથા પ્રભુ કૃપા ટાઉનશીપના દરેક સનાતન ભાઈઓ સાથે મળી શાસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં બાળકો દીકરીઓ અને ભાઈઓએ ભાગ લીધો હતો.આ તકે પંકજભાઈ, ભાવિનભાઈ, દિલીપભાઈ, જસ્મીનભાઇ ભરતભાઈ  દિલીપભાઈ ગૌતમભાઈ મહેશભાઈ જીતુભાઈ અને એમનો પ્રભુ કૃપા ટાઉનશીપનો આખો ગ્રુપના ભાઈઓનો સંપૂર્ણ સહયોગ રહયો હતો. તથા હિન્દુ ભગીરથસિંહ ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા આ રીતે અઢારે વર્ણનું સંગઠન મોરબીમાં હવે સંપૂર્ણ રીતે સક્રિય થઈને કાર્ય કરવા જઈ રહ્યું છે ત્યારે આપણો હિન્દુ સમાજ સંપૂર્ણ રીતે અઢારે વર્ણના સંગઠનમાં જોડાઈ તેવી આશા વ્યક્ત કરાઈ છે.

મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન કરાયું