Saturday - May 18, 2024

વાંકાનેરના વેપારી પરિવાર સાથે અમદાવાદ ગયા અને પાંછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

વાંકાનેરના વેપારી પરિવાર સાથે અમદાવાદ ગયા અને પાંછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

મોરબી જિલ્લામાં તસ્કરોના બેખોફ છતાં પોલીસના નસ્કોરો ગરમ ધાબળામાં સંભળાતા હોય એમ વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં વાંકાનેરના ગોકુલનગરમાં રહેતા વેપારી તેમની પત્નીની પ્રસુતિ માટે રાજકોટની હોસ્પિટલમાં ગયા બાદ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા રૂપિયા 1.80 લાખની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાંકાનેર શહેરના ગોકુલનગરમાં રહેતા અને રેડીમેન્ટ  કપડાનો વેપાર કરતા રવિભાઈ બળવંતભાઈ ચૌહાણ અને તેમના પરિવારજનો ગત. તા.23 ના રોજ મકાન બંધ કરી તેમના પત્નીની પ્રસુતિ માટે રાજકોટ ગયા બાદ બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી નકુચા કાપી ઘરની તિજોરીમાંથી ધંધા માટે રાખેલા રોકડા રૂપિયા 1.80 લાખની ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.