બંધારણના કાયદા મુજબ યુવકની 21 વર્ષે અને 18 વર્ષે લગ્નની ઉંમર નિર્ધારિત કરાય હોય આ કાયદાના બંધન પહેલાના લગ્ન બાળ લગ્ન અને ગેરકાયદે ગણાતા હોવાથી હળવદ શહેરના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા સગીરે સગાઈ કરવાની જીદે દુનિયાને અલવિદા કરી નાખી હતી. જેમાં આ સગીરે સગાઈ કરાવી આપવાની જીદ કરતા માતાપિતાએ સગાઈ ન કરાવી આપતા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
હળવદના ગોરી દરવાજા વિસ્તારમાં રહેતા રવિ નવઘણભાઈ પનારા ઉ.વ.17 નામના સગીરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની હળવદ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકએ બે માસ પૂર્વે માતાપિતાને સગાઈ કરાવી આપવા માટે કહ્યું હતું જેથી તેમના માતાપિતાએ સગાઈ કરાવી આપીશું તેવું કહી સગાઈ ન કરાવી આપતા રવીને લાગી આવતા પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.