Sunday - May 19, 2024

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવાને જિંદગી ટૂંકાવી

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવાને જિંદગી ટૂંકાવી

મોરબીમાં યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક આવેલ ઓવેલ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહી મજૂરી કામ કરતા શ્રીકાંત કૈલાશ જાદવ ઉ.33 નામના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરમા પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.