હળવદ : હળવદ શહેરમાં ગત તા.17 જુલાઈના રોજ જયદેવભાઈ રઘુભાઈ રાણેવાડિયા પોતાની જીજે - 38 - યુ - 9833 નંબરની રીક્ષા લઈને જતા હતા ત્યારે હળવદ શહેરના ત્રણ રસ્તા પાસે આવેલ જોગણી માતાજીના મંદિર નજીક રીક્ષા પલ્ટી જતા તેમના ત્રણ વર્ષના પુત્ર આનંદને ગંભીર ઇજાઓ પહોચતા પ્રથમ હળવદ બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ સારવારમાં લઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.