મોરબી :- મોરબી 30 એપ્રિલના રોજ ઘુટુ ઔદ્યોગિક પેટા હેઠળના વિસ્તારોમાં જેટકો દ્વારા મેન્ટેન્શનની કામગીરી કરવાની હોવાથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
જેમાં કાલિકાનગર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો સવારના 6 થી બપોરના 12:30 સુધી બંધ રહેશે.
શોભેશ્વર સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરમાં પણ સવારે થી બપોરના 12:30 સુધી બંધ રહેશે.
આ ૬૦ જેવી ફીડર વિસ્તારમાં આવતા તમામ રહેણાંક વાણિજ્ય કે ખેતીવાડી અને ઔદ્યોગિક (એચ.ટી) એ જ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેટકો દ્વારા મેન્ટેનેન્સન કામગીરી પૂર્ણ થવા પર કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે.