Saturday - May 24, 2025

ઝુલતા પુલ કેસમાં જયસુખ પટેલ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ કરતી મોરબી સેશન્સ કોર્ટ.

ઝુલતા પુલ કેસમાં જયસુખ પટેલ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ કરતી મોરબી સેશન્સ કોર્ટ.

મોરબી:- મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે જયસુખ પટેલ સહિત આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ કરી છે.
          આરોપીઓએ તેમની સામે નોંધાયેલો આઈપીસી કલમો હેઠળનો ગુનો ન બનતો હોવાની દલીલ સાથે ડિસ્ચાર્જ અરજી કરી હતી, 
    ગત બુધવારે અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિજય જાનીએ કરેલી દલીલો સાથે રજૂ કરેલા વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે ડિસ્ચાર્જ અરજી રદ કરી છે.

  સાથે ટ્રેજેડી વિકિટમ એસોસિએશને નગરપાલિકા અને કલેક્ટરને પણ આરોપી તરીકે જોડવા અરજી કરી છે. હવે આગળ જતાં કંઈક નવા ધડાકા થશે એવું લાગી રહ્યું છે.