Saturday - May 18, 2024

મોરબીમાં લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે મુખ્યમંત્રીએ જાહેર સભા સંબોધી

મોરબીમાં લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે મુખ્યમંત્રીએ જાહેર સભા સંબોધી

લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે આજે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી ખાતે મોરબી – કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં સભા ગજાવી લોકોને ભાજપને મત આપી વડાપ્રધાનના 400પારના નારાને સાર્થક કરવા તેમજ મોરબીથી જંગી મતદાન કરી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જીત આપવવા હાકલ કરી હતી.

લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે મોરબી ખાતે આવી પહોંચેલા રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે શહેરમાં ઉમા ટાઉનશીપ ખાતે જાહેર સભા સંબોધી હતી અને કેન્દ્રમાં પીએમ મોદીની સરકારની વાહવાહ કરીને મોદી સરકારની આખા દેશમાં વિકાસગાથા રજૂ કરીને જનતાને ફરી એક વાર મોદી સરકારને જંગી લીડથી છૂટી કાઢવા આહવાન કર્યું હતું. સભા સ્થળે ખુલ્લી જીપમાં આવેલા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  મોરબીની જનતાને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જન જનનો અવાજ છે કે 400 પાર સાથે ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે. તેમણે ભાજપ સરકારે કરેલા કાર્યોની વાત કરી હતી જણાવ્યુ કે, ગુજરાતની તમામ સીટો જીતી વધુ લીડથી કેન્દ્રમાં સરકાર બનાવીશું. સીએમએ આજની સભામાં માત્ર મોદી સરકારની વાહવાહી કરીને  ગુજરાતની સાથે દેશને પણ વધુ સમૃદ્ધ કરવા માટે મતની ઝોળી ફેલાવી હતી