મોરબી શહેરમાં પાડાપુલ અને મયુરપુલ વચ્ચે પક્ષીઓને ચણ નાખવાની જગ્યા આવેલી છે. જ્યાં એક 40 વર્ષના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહનો કબજો મેળવી તેને પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી. આ અંગેની વધુ તપાસ બી ડિવિઝન પીએસઆઇ એન.ઓ અબળા ચલાવી રહ્યા છે.