વાંકાનેરના તરકિયા ગામે મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના તરકિયા ગામે રહેતા નીતાબેન મુન્નાભાઈ બાવડીયા ઉ વ .34 નામના મહિલાએ કોઈ કારણોસર ગત તા.4ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન તા.5ના રોજ તેમનું મોત નિપજતા તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.