Wednesday - Apr 22, 2026

મોરબીમાં 27 ડિસેમ્બરે સોરઠ કડવા પાટીદાર પરિવારનો સ્નેહ મિલન સમારોહ

મોરબીમાં 27 ડિસેમ્બરે સોરઠ કડવા પાટીદાર પરિવારનો સ્નેહ મિલન સમારોહ

સમજણની વૃદ્ધિ એજ સમાજની સમૃદ્ધિ વિષય પર મોટિવેશન પ્રવચન

મોરબી : સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીના આગામી 27 ડિસેમ્બરને શનિવારના રોજ  સ્નેહ મિલન સમારોહ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના મોરબી-રાજકોટ હાઈવે પર ઉમા સંસ્કારધામની સામે આવેલા મધુસૂદન પાર્ટી લોન્સ ખાતે યોજાનાર સ્નેહ મિલન કાર્યક્રમમાં સોરઠ કડવા પાટીદાર પરિવારના આશરે 6 હજારથી વધુ લોકો ઉમટી પડવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
 

મોરબીમાં 27 ડિસેમ્બરે સોરઠ કડવા પાટીદાર પરિવારનો સ્નેહ મિલન સમારોહ

સોરઠ કડવા પાટીદાર પરિવાર મોરબીના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંજે 3 કલાકે પરિવારોનું આગમન, દિપપ્રાગટ્ય, સ્વાગત ગીત, સાંસ્કૃતિક ગીત, વિદ્યાર્થીઓનું સન્માન, દાતાઓનું સન્માન, મા ઉમાની આરાધના, બહેનો અને બાળકો માટે રમત-ગમત, સ્ત્રી પુરુષો માટે ભોજન સમારંભ, સાંજે 8 કલાકે મોટિવેશન સ્પીકર મનિષ વઘાસીયાનો સમજણની વૃદ્ધિ એજ સમાજની સમૃદ્ધિ વિષય પર અસરકારક વક્તવ્ય અપાશે. તેઓ કોઈપણ સમસ્યાના હલ માટે સમજણથી ઉકેલ લાવી શકાય અને પરિવારોમા આ રીતે ક્લેશ થતા અટકે જેથી પરિવાર સ્નેહના એક તાંતણે બધાય તો સમાજની પ્રગતિ થાય તે અંગે ગહન ચિંતન વ્યક્ત કરશે. ત્યારબાદ રાત્રે 10 કલાકે રાસ ગરબાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સોરઠ કડવા પાટીદાર પરિવારને મોટી સંખ્યામાં ઉમટી પડવાની  અપીલ કરાઈ છે.

મોરબીમાં 27 ડિસેમ્બરે સોરઠ કડવા પાટીદાર પરિવારનો સ્નેહ મિલન સમારોહ
મોરબીમાં 27 ડિસેમ્બરે સોરઠ કડવા પાટીદાર પરિવારનો સ્નેહ મિલન સમારોહ
મોરબીમાં 27 ડિસેમ્બરે સોરઠ કડવા પાટીદાર પરિવારનો સ્નેહ મિલન સમારોહ