મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ થવાથી સ્થળાંતરિત થયેલા લોકોની મદદે સેવાભાવિઓ વ્હારે આવ્યા છે. જેમાં સેવા પરમો ધર્મ સાર્થક કરી રીયલ સેરા ગ્રુપના ભાવેશભાઈ મારવાંણીયા તથા નયનભાઈ મારવાણીયા (રાજપર ) તથા શુકન ગોલ્ડ એપાર્ટમેન્ટના ધવલભાઈ,મેહુલભાઈ, વિશાલ ભાઈ દ્વારા રાસંગપર વૃદ્ધાશ્રમ તથા માળીયા શહેરના જુદા જુદા વિસ્તારમાં 400થી વધુ ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતુઁ તથા મોરબીમાં આફતના સમયે સેવા માટે આ ગ્રુપ હંમેશા તત્પર રહેશે તેવી તૈયારી દર્શાવી છે.