મોરબી : મોરબીમાં આજે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંત શિરોમણી શ્રી પૂ.જલારામ બાપા ની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા તેમજ માતુશ્રી વીરબાઈ માઁ ની રંગોળી બનાવવામાં આવી હતી.