મોરબીનાં રાજકીય અગ્રણીની રજૂઆતથી રાજકોટના સાંસદ પરસો્તમભાઇ રૂપાલા દ્વારા ઉડયન મંત્રી પાસે રાજકોટ - દેહરાદૂન ફ્લાઇટ ચાલુ કરવા દરખાસ્ત કરવામાં આવી છે.
મોરબી લોહાણા સમાજના યુવા અગ્રણી તેમજ જિલ્લા બિલ્ડર એસોસિયેશનનાં ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના કારોબારી સભ્ય રૂચિરભાઈ કારીયા દ્વારા તા.૪-૭-૨૦૨૪નાં રોજ ઇમેઇલ તેમજ ફોન દ્વારા સૌરાષ્ટ્રનાં તમામ સાંસદો અને ઉડ્યન મંત્રી કિંજરપુ રામમોહન નાયડુને રજૂઆત કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રભરમાંથી ઘણા હિન્દુ લોકો ધર્મયાત્રા માટે હરિદ્વાર તેમજ ચારધામ યાત્રા અર્થે જતા હોય છે ત્યારે હરીદ્વારનુ નજીકનું દેહરાદૂન એરપોર્ટ આવેલ હોય ત્યાં માટે જવા માટે અમદાવાદ ફરજિયાત જવું પડતું હોય યાત્રાળુઓને મુશ્કેલી પડતી હોય જો રાજકોટથી દેહરાદૂન ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તો ઘણા હિન્દુ યાત્રાળુઓને યાત્રાનો સમય ઘટી જાય આ રજૂઆતને ધ્યાને લઈ ભારત સરકારનાં પૂર્વ મંત્રી અને હાલ રાજકોટનાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા દ્વારા ઉડ્યન મંત્રી પાસે રાજકોટ - દેહરાદૂન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ ની માંગણી કરવામાં આવી છે.