મોરબી શહેરના ઉમીયા સર્કલ, શનાળા રોડ સ્થિત શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરમાં મહંત શ્રી પીન્ટુગીરી બાપુ દ્વારા ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દવા, ઓપરેશન કે કોઈપણ પ્રકારની આડઅસર વિના 100 ટકા રાહત આપતી થેરાપી દ્વારા સારવાર આપવામાં આવશે. શરીરના વિવિધ પ્રકારના દુઃખાવા તેમજ દીર્ઘકાળીન તકલીફોમાં રાહત મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે.
આ કેમ્પમાં ખાસ કરીને સાયટીકા (સ્નાયુનો દુઃખાવો), બ્લડપ્રેશર, ડાયાબિટીસ, ગોઠણનો દુઃખાવો તેમજ ગોટલા ચડવાની સમસ્યા સહિત અનેક આરોગ્ય સંબંધિત તકલીફોમાં અસરકારક માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે. આ કેમ્પ તા.23/12/2025 થી 31/12/2025 દરમિયાન રોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. વધુ માહિતી માટે 7069090020 અથવા 7227018033 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.