મોરબી રાજકોટ હાઇવેને તાજેતરમાં ફોરલેન કરવામાં આવ્યો છે. આ ફોરલેન હાઇવેની કામગીરી દરમિયાન વખતોવખત વાહન ચાલકોને હાલાકી પડી છે . રોડનું કામ ચાલુ હોય ત્યારે રોડની અણધડ કામગીરીને કારણે અકસ્માત થયા હોય ત્યારે હાઇવે બની ગયાના થોડા સમયમાં આ રોડની કામગીરી હલકી ગુણવત્તા સમાન થઈ હોય એમ મોરબી રાજકોટ હાઇવે ઉપર જીવેલણ ખાડો પડી ગયો છે. આ જીવલેણ ખાડો ગમે ત્યારે ગમે તેનો ભોગ લે તેવી સ્થિતિ છે. જેથી મોરબી રાજકોટ વચ્ચે દરરોજ અવરજવર કરતા હજારો લોકોની સલામતી માટે આ ખાડાની જવાબદાર તંત્ર યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.