Thursday - Jul 16, 2026

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપરના દબાણો ઉપર ડીમોલેશન કરતું મનપા

મોરબીના સામાકાંઠે  શોભેશ્વર રોડ ઉપરના  દબાણો ઉપર ડીમોલેશન કરતું મનપા

 મોરબીમાં આજે શોભેશ્વર રોડનો વારો લેવામાં આવ્યો છે.
અહીં સવારથી મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા તે અંગેની વિગતો સાંજે જાહેર થશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે વન વિક વન રોડ અંતર્ગત એક રોડ પસંદ કરી ત્યાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત આજે શોભેશ્વર રોડનો વારો લેવામાં આવ્યો છે. સવારથી સો ઓરડી ચોક પાસેથી જેસીબીની મદદથી દબાણો હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે આ રોડ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ છે. અનેક લોકોએ ઓટા અને છાપરા અગાઉથી જ હટાવી લઈ મહાપાલિકાને સહકાર આપ્યો છે. લોકો આવી રીતે જ સહકાર આપે તેવી અપેક્ષા છે.