Thursday - Jun 11, 2026

મોરબીના રવાપર ગામેં પોતાના ઘરે છેલ્લા ત્રણ વર્ષથી ગણપતિની સ્થાપના કરતા મિશાલભાઈ મહેતા

મોરબીના રવાપર ગામેં પોતાના ઘરે છેલ્લા ત્રણ વર્ષથી ગણપતિની સ્થાપના કરતા મિશાલભાઈ મહેતા

મોરબીના રવાપર રોડ પરના બોની પાર્કમાં આવેલ રાધે રેસીડેન્સીમાં રહેતા મિશાલભાઈ મહેતાને ગણપતિ બાપા પ્રત્યે અતૂટ વિશ્વાસ હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી ગણેશ ચતુર્થીમાં પોતાના ઘરે ગણપતિ દાદાનું સ્થાપન કરે છે.તેમને ગણપતિ દાદા પ્રત્યે ખુબ જ શ્રદ્ધા છે.તેમની તમામ મનોકામના ગણપતિ દાદા પુરી કરતા હોવાની તેમની માન્યતા છે. ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ દાદાની નિયમિત પૂજા અર્ચના અને આર નું પણ આયોજન કરવામાં આવે છે.દરરરોજ મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે આવીને આરતીનો શ્રદ્ધાભેર લાભ લઈ ધન્યતા અનુભવે છે.