મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર રોડ પર આવેલ વૈજનાથ કેમિકલ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ રહેતા શંકરદાસ બોરાહરીદાસ ઉ.26 નામના યુવકને કામ કરતી વેળાએ વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.