હળવદ : હળવદ શહેરમાં આવેલ હરીદર્શન સોસાયટી પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ભરવા જતા સમયે ગત તા.1ના રોજ અકસ્માતે કેનાલમાં પડી જતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં હળવદ ખાતે રહેતા દયારામ ઉર્ફે સોનું રંતીરામ ગોટ ઉ.વ.46 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.