મોરબી જિલ્લો ઉદ્યોગો થવાથી પૂરેપૂરો તો નહીં પણ અમુક અંશે ખેતી ઉપર નિર્ભર છે. હજુ પણ મોટાભાગના ગામો ખેતી સાથે જોડાયેલા હોય પણ સિંચાઇની સુવિધા ન હોવાથી ખેડૂતો યોગ્ય પાક લઈ શકતા જ નથી. આવું જ એક વધુ ગામ એટલે મોરબીનુ અમરાપર-નાગલપર(જુનું)ગામ છે.આ ગામમાં સિંચાઇની સુવિધા જ નથી. એટલે ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં વર્ષમાં એક જ પાક લઈ શકે છે. એટલે આ ગામની ખેતી વરસાદ આધારિત હોય સારો વરસાદ પડે ત્યારે સીઝનમાં એકવાર જ પાક લઈ શકે છે. જો વરસાદ ન પડે તો આખું વરહ માઠું જાય છે.
મોરબીનુ અમરાપર-નાગલપર(જુનું)ગામના માજી સરપંચ સંજયભાઈએ જણાવ્યું હતું કે, આ ગામ 175 વર્ષ જૂનું હોય અને હવે ગામના બે ભાગ પડી ગયા હોય પણ આ ગામ હાલ વહીવટીદારને હવાલે અને વસ્તી 830 લોકોની છે.જો કે ગામની શુદ્ધ આબોહવા છે. એટલે બીમારી ઓછી હોય છતાં પણ સંજોગવસાત પણ ગામલોકોને બીમાર પડવું કોઈ કાળે પરવડે જ નહીં. કારણ કે ગામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ નથી. લોકોને માંદા પડે તો સારવાર લેવા 4 કિમિ દૂર જવું પડે છે. ગામમાં 1થી 8 ધો. ની સ્કૂલ છે. પણ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ઓરડા અને રમત ગમતના મેદાનની કમી છે.અરજી કરેલ છે જે કલેક્ટર ઓફીસ માં પેન્ડિંગ છે 90% પોંહચી ને અટકી ગયેલ છે, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટ છે પણ કચરા માટે સાધનો આવ્યા નથી. પીવાના પાણી સુવિધા છે. પણ પાણીના સ્ટોરેજ માટે સંપની જરૂરિયાત છે. આ ગામથી બગથળાને જોડતો 4 કિમીનો માર્ગ કાચો હોવાથી ગામલકોને સૌથી ચોમાસામાં ખુબ તકલીફ પડે છે. એ ચાર કિલોમીટર નો માર્ગ પાકો થાય તો ગામ ને ખુબ રાહત થાય એમ છે.