મોરબી: દેશ માટે બલિદાન આપનાર અમર શહીદ વીર જવાન પરમાર ગણેશભાઈ મનસુખભાઈની અંતિમ યાત્રા આવતીકાલે તારીખ ૧૧/૧૨/૨૦૨૫, ગુરુવારના રોજ સવારે ૯:૦૦ કલાકે નીકળશે.
શહેરનો રૂટ:
ગેંડા સર્કલથી શરૂ કરી મયુર પુલ, શક્તિ ચોક, નહેરુ ગેટ, સિવિલ હોસ્પિટલ, સરદાર બાગ, ઉમિયા સર્કલ, ભક્તિ નગર સર્કલ, શનાળા રાજપર ચોકડી થઈ ઘુંનડા રોડ (સભારાની વાડી, ચિરાગ પાન પાછળ) પહોંચશે.
સ્મશાન યાત્રા:
સભારાની વાડીએથી અંતિમ યાત્રા શરૂ થઈ શનાળા રાજપર ચોકડી, ભક્તિ નગર સર્કલ, દલવાડી સર્કલ, પંચાસર ચોકડી થઈ સોનાપુરી સ્મશાન ખાતે પૂર્ણ થશે.
સૌ નાગરિકોને વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા જોડાવા વિનંતી.