મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે આજે જેતપર સહિત આજુબાજુના ગામોના લોકો માટે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ કે.એસ. અમૃતિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મોરબી મામલતદાર, નાયબ મામલતદાર તેમજ જેતપર અને આસપાસના ગામોના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના પડતર પ્રશ્નો રજૂ કરવા તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. કાર્યક્રમ દરમિયાન લોકોને સ્થળ પર જ માર્ગદર્શન અને જરૂરી સહાય આપવામાં આવી હતી.