મોરબી ના નારણકા ગામે નારણકા યુવા ગ્રુપ દ્વારા આયોજીત તા.7 ને ગુરૂવારના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે આઠ કલાકે શોભાયાત્રા તથા મટકી ફોડ કાર્યક્રમ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને નારણકા યુવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.