માળીયાના બગસરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામના ઝાંપે પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે. જેમાં તા.7ના રોજ જન્માષ્ટમીના દિવસે માળીયાના બગસરા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામના ઝાંપે પ્રવેશદ્વારનું લોકપર્ણ કરવામાં આવશે. સાથેસાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના હર્ષભેર વધામણા કરવામાં આવશે.