વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા મનુભાઈ હરજીભાઈ બારૈયા ઉ.વ.62 નામના વૃદ્ધે બીમારીથી કંટાળી જઈ ગઈકાલે સવારના સમયે ઘર પાસે આવેલ માતાજીના મઢમાં જઈ પંખા સાથે પટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.