મોરબી : મોરબી તાલુકાના જુના લીલાપર ગામે રહેતા મહેશભાઈ ધનજીભાઈ ગણેશિયા ઉ.30 નામના યુવકે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.