મોરબી : મિશન નવ ભારતને વેગવંતુ બનાવવા આ સંગઠનને મજબૂત બનાવવામાં આવ્યું છે આથી મિશન નવ ભારતના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે. ત્યારે મિશન ભારતના માળીયા તાલુકાના પ્રમુખ તરીકે હિતેશભાઈ દશાડિયા તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે બદલ મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર તથા ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમ અમૃતિયા અને મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયાએ હિતેશભાઈ દશાડિયાની મિશન નવ ભારતના માળીયા તાલુકા પ્રમુખની વરણીને બિરદાવી તેમનું સ્વાગત કરી ભારતના પરમ વૈભવના માર્ગને પ્રસ્થાપિત કરો એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.