મોરબી: મોરબી ન્યૂમીસમેટિક ક્લબના પ્રતિનિધિ મંડળે રાજ્ય સરકારના નવનિયુક્ત કેબિનેટ મંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન ક્લબના સભ્યોએ મંત્રીઓને અભિનંદન પાઠવી, નવા વર્ષની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
જેમાં મુલાકાત લેનારાઓમાં ક્લબના ચેરમેન અને એડવોકેટ મિતેષભાઈ દવે, રાષ્ટ્રિય પરશુરામ યુવા સેના સંઘના મોરબી જિલ્લા ઉપાધ્યક્ષ દર્શનભાઈ દવે, અને સંગઠનના સાથી કિરીટભાઈ રૂપાલા મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં તેઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અર્જુનભાઈ મોઢવાડિયા તે ઉપરાંત પ્રતિનિધિ મંડળે અન્ય મંત્રીઓની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની તકરારના રાજ્યકક્ષાના મંત્રી પૂનમચંદ બરંડાજી,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલજી, પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, સહિતના મંત્રીઓની મુલાકાત લઈને તમામને મોરબી ન્યૂમીસમેટિક ક્લબના સભ્યોએ નવનિયુક્તિ બદલ અને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.