મોરબી : જયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી કપિલભાઈ રાઠોડ ના દાદીમાની પુણ્યતિથિ નિમિતે મોરબી ના સામાંકાઠા મયુરપુલ નીચે આવેલ ઝૂંપડપટ્ટી લીલાપર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી નવલખી રોડ પર પરશુરામધામ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પફનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં જયશ્રી માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જયશ્રીબેન વાઘેલા , વ્રજ તેમજ અન્ય બહેનો જોડાયા હતા..