મોરબી:– પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને દવાની સાથે- સાથે પોષણ યુકત આહર પણ મળી રહે તો તેઓ જલ્દીથી રોગમાંથી સ્વસ્થ થઈ શકે છે.
એ જ ઉમદા હેતુથી મોરબીના વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ તથા બ્લુઝોન વોલ & વિટ્રીફાઇડ કંપનીના ઓનર મનોજભાઈ એરવાડીયા અને પીપળી રોડ સિરામિક ઉદ્યોગકારો દ્વારા મોરબી તાલુકામાં ટી.બી.ની દવા શરૂ હોય તેવા 200 જરૂરિયાત મંદ દર્દીઓને પોષણ યુક્ત કીટ આપી ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને મદદ રૂપ થયા હતા.
તેઓ દ્વારા ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત બનાવવા માટેનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ પુરું પાડવામા આવ્યું હતું.
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણના આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ધનસુખ અજાણાએ દર્દીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું, તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી તાલુકા હેલ્થ સુપરવાઈઝ શૈલેષભાઇ પારજીયા, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તેમજ જીલ્લા ક્ષય કેન્દ્રના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા મનોજભાઈ એરવાડીયા તથા પીપળી રોડ સીરામીક ઉદ્યોગકારોનો આ તકે આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.