Saturday - May 16, 2026

મોરબીમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ 15 હજાર જેટલા તિરંગાનું વિતરણ

મોરબીમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ 15 હજાર જેટલા તિરંગાનું વિતરણ

મોરબી : મોરબીમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દરેક નાગરિક જોડાયને દેશભાવના વ્યક્ત કરે તે માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરીને સમગ્ર શહેરમાં દેશભક્તિનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. તેમાંય હર ઘર તિરંગા અભિયાનની મુહિમ ચલાવીને લોકો ઘરેઘરે રાષ્ટ્ધ્વજ ફરકાવીને દેશભાવના પ્રગટ કરે તે માટે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાનોના પરિવારોને સહાય આપીને દેશભાવના ઉજાગર કરનાર સેવાભાવી અજય લોરીયા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 15 ઓગસ્ટ આઝાદી પર્વના આગલા દિવસે એટલે આજે 14 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકોને વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરવાની પહેલ કરવામાં આવી હતી. ઘણા વર્ષોથી દર આઝાદી પર્વ ઉપર વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરીને લોકોમાં દેશભાવના જાગૃત કરતા અજય લોરીયા દ્વારા આજે 14 ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પૂર્વે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે 15,000 જેટલા રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ તિરંગા મેળવીને રાષ્ટ્રભાવનાના દર્શાવવા ભારે ઉત્સાહ દાખવ્યો હતો.

મોરબીમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ 15 હજાર જેટલા તિરંગાનું વિતરણ
મોરબીમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ 15 હજાર જેટલા તિરંગાનું વિતરણ
મોરબીમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ 15 હજાર જેટલા તિરંગાનું વિતરણ