મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ ડી.વડસોલાએ મતદાન કરી પોતાનો નાગરિક ધર્મ બજાવ્યો અને દરેક મતદાતાઓને જણાવ્યું કે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે,નાગરિક ધર્મ છે,તંત્ર એક એક મત માટે ખુબજ મહેનત કરે છે, બીએલઓએ સતત બે માસ સુધી ઘરે ઘરે ફરી દરેક મતદારનું નામ મતદારયાદીમાં દાખલ કરેલ છે, અપડેટ કરેલ છે, તમામ ઈલેક્શન સ્ટાફ છેલ્લા દશ દિવસથી રાત દિવસ,તડકો-છાંયો જોયા વગર મતદાન માટેની તડામાર તૈયારી કરીને મતદાન બુથ તૈયાર કર્યા છે, ત્યારે સૌ મતદારોને માત્ર થોડી મીનિટો મતદાન માટે ફાળવી કિંમતી અને પવિત્ર મત આપવા વિનમ્ર અપીલ કરેલ છે.