Sunday - Jun 28, 2026

મકનસર મુકામે દિકરિયુએ માતાની અંતિમયાત્રામાં કાંધ આપી

મકનસર મુકામે દિકરિયુએ માતાની અંતિમયાત્રામાં કાંધ આપી

મોરબી:- ગત તા. ૭/૨/૨૦૨૫ ને શુક્રવારે મકનસર મુકામે શ્રી વરીયા પ્રજાપતિ જ્ઞાતિના સ્વ. શ્રી ચંપાબેન મનસુખભાઈ ધરોડીયા (પલાસવાળા) નું અવસાન થતાં તેઓની અંતિમ યાત્રામાં તેમની દીકરીઓ જયશ્રીબેન હર્ષદભાઈ વામજા, દક્ષાબેન કિરીટભાઇ નારણીયા, વર્ષાબેન પંકજભાઈ વામજા એ કાંધ આપી હતી, અંતિમ યાત્રામાં જોડાવવાનું પવિત્ર ફળ પ્રાપ્ત કરી સમાજ ને દીકરીયુએ નવી રાહ આપી હતી,