Sunday - May 31, 2026

મોરબીમાં એકાદશીના પાવન અવસરે શીતળ સેવા, 700 ગ્લાસ શેરડીનો રસ અને 100 ગ્લાસ છાશનું વિતરણ

મોરબીમાં એકાદશીના પાવન અવસરે શીતળ સેવા, 700 ગ્લાસ શેરડીનો રસ અને 100 ગ્લાસ છાશનું વિતરણ

મોરબી : "પરમાત્માની સાચી સેવા એ છે કે તરસ્યાને પાણી અને થાકેલાને રાહત આપવી." પવિત્ર પુરુષોત્તમ માસની એકાદશીના શુભ અવસરે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા માનવસેવાનું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભીષણ ગરમીમાં રાહદારીઓ, દર્દીઓના સગાસંબંધીઓ તથા સામાન્ય જનતાને શીતળતા અને તાજગી મળે તે હેતુથી સિવિલ હોસ્પિટલ ખાતે 700 ગ્લાસ શેરડીના રસ તેમજ 100 ગ્લાસ ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસથી વ્યાકુળ લોકોને ઠંડક આપવાનો આ નાનકડો પ્રયાસ લોકો માટે રાહતરૂપ બન્યો હતો. સેવાના આ કાર્યથી અનેક લોકોના ચહેરા પર સંતોષ અને આનંદની લાગણી જોવા મળી હતી. મુસ્કાન વેલફેર સોસાયટીનું માનવું છે કે ધાર્મિક પર્વોની સાચી ઉજવણી ત્યારે જ થાય છે જ્યારે તેમાં માનવતાની સુગંધ ભળે. એકાદશીના આ પવિત્ર દિવસે કરવામાં આવેલી આ સેવા માત્ર તરસ છીપાવવાનો પ્રયાસ નહોતો, પરંતુ માનવતા, કરુણા અને પરોપકારનો જીવંત સંદેશ પણ હતો. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. 

મોરબીમાં એકાદશીના પાવન અવસરે શીતળ સેવા, 700 ગ્લાસ શેરડીનો રસ અને 100 ગ્લાસ છાશનું વિતરણ
મોરબીમાં એકાદશીના પાવન અવસરે શીતળ સેવા, 700 ગ્લાસ શેરડીનો રસ અને 100 ગ્લાસ છાશનું વિતરણ