Saturday - May 18, 2024

બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ ફરિયાદ નોંધાવી

બન્ને પક્ષોએ એકબીજા ઉપર હુમલો કર્યા બાદ ફરિયાદ નોંધાવી

 વાંકાનેરના ભોજપરામાં આવેલ વાદી વસાહતમાં બે પરિવારો વચ્ચેની જૂની અદાવત સપાટી ઉપર આવતા બઘડાટી બોલી ગઈ હતી. એક પક્ષે બોલાચાલી થયા બાદ ધાણી ફૂટ પથ્થરમારો થતા એક વ્યક્તિની આંખનો ડોળો બહાર આવી ગયાની અને સામાપક્ષે વાંકાનેર શહેર નજીક વાદી વસાહતમાં રહેતા પરમાર અને બાંભાણીયા અટકના વાદી પરિવારો વચ્ચે દીકરીની લેતી દેતી મામલે ઝઘડો ચાલી રહ્યો હોય તેવામાં બુધવારે સસરા માટે ચા લેવા જતા પરમાર અટકના જમાઈ ઉપર બાંભાણીયા પરિવારના લોકોએ સામુહિક હુમલો કરી બેભાન થાય ત્યાં સુધી માર માર્યાની સામી ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં રહેતા જાલમનાથ બાકનાથ બાંભણીયાએ આરોપી રોબળનાથ સુરમનાથ પરમાર, રૂમાલનાથ સુરમાનાથ પરમાર, બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જોગનાથ કાળુનાથ પરમાર રહે. બધાય વાદી વસાહત ભોજપરા ગામ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1ના રોજ આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખી પથ્થરમારો કરતા આ હુમલામાં ફરિયાદી જાલમનાથ બાકનાથ બાંભણીયાની આંખમાં પથ્થર લગતા ડોળો બહાર આવી ગયો હતો. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. ઇકો ચાલક ખોડુનાથ ગોરખનાથ ભાઠી રહે. ભોજપરા વાદી વસાહત નામના યુવાને આરોપી મોડનાથ મીલ્ખાનાથ બાંભાણીયા, કીશનનાથ ઉર્ફે કાળુનાથ બબાનાથ બાંભાણીયા, જોગનાથ કાશનાથ બાંભાણીયા, શાહરૂખનાથ બાકનાથ બાંભાણીયા, શાયરનાથ હજુરનાથ બાંભાણીયા, હજુરનાથ ઢેબનાથ બાંભાણીયા અને ચેતનનાથ મીલ્ખાનાથ બાંભાણીયા રહે બધા વાદી વસાહત ભોજપરાવાળાઓ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમની જ્ઞાતિમાં પરમાર અને બાંભાણીયા પરિવાર વચ્ચે દીકરીની લેતી દેતી મામલે ઝગડો ચાલો હોય તેવામાં તેઓ બુધવારે સસરા માટે ચા લેવા જતા હતા ત્યારે આરોપીઓએ એક્ટિવા પાછળ બોલેરો ભગાવી થાનગઢ રોડ ઉપર આવી હુમલો કર્યો હતો.