ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારાના જબલપુર ગામની સીમમાં ખજૂરા હોટલ નજીક માનસિક બીમારીને કારણે રખડતું ભટકતું જીવન જીવતા વિરમગામના કરકથલ ગામના રહેવાસી નરેશભાઈ ઉર્ફે ટીનો જેણાજી બકરાણીયા ઉ.36 નામના યુવાનને પગમા ઇજાઓ બાદ લોહી વહી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.