Saturday - Aug 15, 2026

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને ધોકાથી માર્યો

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને ધોકાથી માર્યો

મોરબી : મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક આવેલ હરિપાર્ક સોસાયટીના ગેટ પાસે ગત તા.14ના રોજ સાંજના સમયે ફરિયાદી ભાવિનભાઈ વિનોદભાઈ ચૌહાણ રહે.લગધીરપુર રોડ વાળા સાથે જુના ઝઘડાનો ખાર રાખી આરોપી દિનેશ ચૌહાણ તથા તેના ભાઈ પવો ચૌહાણ રહે.હરિ સોસાયટી વાળાઓએ ઝઘડો કરી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઘટના અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.