મોરબી:- અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 15/02/2025 યુનિક સ્કૂલ ઉમા ટાઉનશિપ મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. જેમાં સ્કુલના આચાર્ય અમિતભાઈ પટેલ નો ખૂબ સારો સહકાર મળ્યો, સાથે શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવામા પોતાની હાજરી નોંધાવી.


ગાયત્રી પરિવાર મોરબી તરફથી.
અનિલભાઈ વિઠ્ઠલાપરા, ગડારા પાર્થભાઈ, ગડારા વાત્સલ્યભાઈ
હાજર રહ્યા હતા, જેમને બાળકોને વ્યસન ના કરવું અને બીજાં ને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા, જેમાં અમુક બાળકો એ મોબાઇલમાં ગેમ નહીં રમે તેવી સપથ લીધી હતી,
