Saturday - May 02, 2026

હળવદના કડિયાણામાં લીવરની બીમારીથી પીડાતા યુવાને ઝેરના પારખા કર્યા

હળવદના કડિયાણામાં લીવરની બીમારીથી પીડાતા યુવાને ઝેરના પારખા કર્યા

હળવદ : હળવદ તાલુકાના નવા કડિયાણા ગામે રહેતા જાદવજીભાઈ કાનજીભાઈ વઢરેકીયા ઉ.વ. 47 નામના યુવકને છેલ્લા એકાદ વર્ષથી લીવરની બીમારી હોવાથી બીમારીથી કંટાળી જઈ પોતાના ઘેર ગત તા.6 જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તા.8ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.