Saturday - May 02, 2026

મોરબીના રાજપર કુંતાસી ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત

મોરબીના રાજપર કુંતાસી ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત

મોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે રહેતા મહીસાગર જિલ્લાના વતની પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ ઉ.વ.25 નામનો યુવક ગઈકાલે સાંજના સમયે ફડસર ગામ તરફ જવાના રસ્તે આવેલ તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.