મોરબી : મોરબી શહેરમાં ગઈકાલે ત્રાજપર ચોકડી નજીક આવેલ શિવ અંજની કોર્પોરેશન હાઉસ નામના બિલ્ડીંગમાં ઉપરના માળેથી પટકાતા ગણેશભાઈ માવજીભાઈ પરમાર ઉ.40 રહે.માધાપર શેરી નંબર 24, મોરબી વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.