સાથે મહારક્તદાન કેમ્પ નું આયોજન
મોરબી:જીવાપર (ચકમપર) સમસ્ત સરસાવાડીયા પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી “૨૭ મો રુદ્રીયજ્ઞ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૨૫-૧૨-૨૦૨૫, ગુરુવાર ના રોજ જીવાપર (ચકમપર) મુકામે આ ધાર્મિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
ધાર્મિક વિધિઓ અને મહાપ્રસાદનો સમય નીચે મુજબ રહેશે:
* યજ્ઞ પ્રારંભ: સવારે ૬:૦૦ કલાકે
*રક્તદાન સમય: સવારના ૮:૦૦ થી ૧૧:૦૦ સુધી
* મહાપ્રસાદ: બપોરે ૧૨:૩૦ કલાકે
* યજ્ઞ પૂર્ણાહુતિ: બપોરે ૧:૦૦ કલાકે
આ રુદ્રીયજ્ઞમાં મુખ્ય પાટલાના યજમાન તરીકે બચુભાઈ મહાદેવભાઈ સરસાવાડીયા તથા વિજયાબેન બચુભાઈ સરસાવાડીયા બિરાજશે. તથા આ મહોત્સવમાં મહાપ્રસાદના દાતા તરીકે તળશીબાપા સરસાવાડીયા પરિવાર (જીવાપર) સેવા આપશે.
સરસાવાડીયા સહપરિવાર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ અને સ્નેહીજનોને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.