*ટંકારા: આગામી તારીખ ૦૫/૧૧/૨૦૨૪ ને મંગળવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ - નસીતપર ના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક સોમનાથ ની સખાતે યાને વીર હમીરજી ગોહિલ અને સાથે હાસ્ય રસીક કોમિક સાણી કન્યા, અબુધ વર ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવા ના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવા માં આવે છે.*