મોરબી નજીક કારખાનામાં યુવાને ગળેફાંસો જીવાદોરી ટૂંકાવી
મોરબી : મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર) નજીક આવેલ આજીવીટો સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કોલોનીમા રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સોનુભાઈ થાનસિંહ ભીલાલા ઉ.વ.19 નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર રૂમના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.