Saturday - May 16, 2026

ટંકારાના વાઘગઢ ગામેં ઝઘડો નહિ કરવા સમજાવવા જતા યુવાનને છરી ઝીકી

ટંકારાના વાઘગઢ ગામેં
ઝઘડો નહિ કરવા સમજાવવા જતા યુવાનને છરી ઝીકી

ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામની સીમમાં આઠેક દિવસ પૂર્વે અન્ય વ્યક્તિ સાથે ઝઘડો કરી રહેલા ઘુનડા ખાનપર ગામના બે સગા ભાઈઓને સમજાવવા જતા આરોપીઓને આ બાબત સારી નહિ લાગતા ગત તા.1ના રોજ મેઘપર ઝાલા ગામના યુવાન ઉપર મોડી રાત્રે હુમલો કરી પગમાં છરીના ઘા ઝીકી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


બનાવ અંગે મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા ઉ.48 નામના યુવાને આરોપી યોગેશ તુલસીભાઈ કાસુન્દ્રા અને મનોજ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બન્ને ઘુનડા ખાનપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને આરોપીઓ આઠેક દિવસ પૂર્વે તેમના ગામના રમભા ઝાલા સાથે ઝઘડો કરતા હોવાથી ફરિયાદીએ ઝઘડો નહિ કરવા સમજાવતા આ બાબતનો ખાર રાખી તા.1ના રોજ ફરિયાદી વનરાજસિંહ પોતાની વાઘગઢ ગામની વાડીએ સુતા હતા ત્યારે બન્ને શખ્સો આવ્યા હતા અને છાતી ઉપર ચડી જઈ ઢીકા પાટુનો માર મારી સાથળમાં છરીનો ઘા ઝીકી દીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.